પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ઘરેથી ભાવનાબેનની એક ડાયરી મળી આવી છે. જેમાં તેણે પુત્ર પ્રાપ્તિની ઇચ્છાઓ લખી હતી. બીજી દીકરી જન્મી તે પહેલાની આ ડાયરી છે. જેમાં લખેલું છે કે, મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું મંદિરે પગે લાગવા જઈશ. આ સાથે તેમણે જણાવ્યું કે, પતિ પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ નથી પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.